અલ્લાહનું ફરમાન કે : આપ (ﷺ) ન હોત તો હું બ્રહ્માંડને પેદા ન કરતો વિષે હદીષની તહકીક

Ml Fayyaz Patel
0

     આ હદીષ પણ લોકોમાં ઉપરોક્ત શબ્દોમાં ઘણી પ્રચલિત છે કે અલ્લાહ તઆલાનું ફરમાન છે કે જો આપ (ﷺ) ન હોત તો હું બ્રહ્માંડને પેદા ન કરત.

શુદ્ધિકરણ :-

     ઉપરોક્ત રીવાયત આ જ શબ્દોમાં હદીષ હોવા વિષે શાહ અબ્દુ'લ અઝીઝؒ નું કહેવું છે કે આ મનઘડત અને બેબુનિયાદ છે. 

     હાં ! મતલબના હિસાબથી આ વાત બિલકુલ દુરુસ્ત છે. જેવી રીતે કે મુલ્લા અલી કારીؒ એ એક હદીષ બયાન કરી છે કે :

لولاك ما خلقت الجنة ولولاك ما خلقت النار

 અનુવાદ : - જો આપ (ﷺ) ન હોત તો હું જન્નત, જહન્નમને પેદા ન કરત.

     તે માટે આ વાત ઉપરોક્ત શબ્દોમાં હદીષના તોર પર (રસુલુલ્લાહﷺ તરફ નિસ્બત કરીને) બયાન કરવી દુરુસ્ત નથી.

  [ગેર મુસતનદ અહાદીષ / સફા ૬૩]

-----------------------------

Ml Fayyaz Patel (Ghodi)

+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)