આ હદીષ પણ લોકોમાં ઘણી પ્રચલિત છે કે એક વખત રસુલુલ્લાહﷺ પોતાના સહાબીઓ સાથે ઉભા હતા. ત્યારે એમની સામેથી એક યહૂદિનો જનાઝો જઈ રહ્યો હતો. જનાઝાને જોઈ રસુલુલ્લાહﷺ ની આંખોમાં આંસુ આવી ગયા. એક સહાબીએ રસુલુલ્લાહﷺ ની આંખોમાં આંસુ જોઈ પૂછ્યું! યા રસુલલ્લાહ આ તો યહૂદીનો જનાઝો છે તમે કેમ રડો છો ? તો રસુલુલ્લાહﷺએ જવાબ આપ્યો કે મારો એક ઉમ્મતી કલિમા વગર જહન્નમમાં ચાલ્યો ગયો.
શુદ્ધિકરણ :-
ઘણી શોધ કર્યા પછી પણ આ રિવાયત હદીષની માન્ય કિતાબોમાં ન મળી. તે માટે જ્યાં સુધી તે સહીહ સનદ સાથે ન મળે ત્યાં સુધી તેને બયાન કરવામાં સાવચેત રહેવું જોઈએ. કેમકે રસુલુલ્લાહﷺનું ફરમાન છે કે :
“ માણસનું જુઠું હોવા માટે માત્ર આ જ વાત કાફી છે કે તે દરેક સાંભળેલી વાતો(તહકીક વગર) આગળ નક્લ કરે ”
(મુકદ્દમએ મુસ્લિમ શરીફ)
એવી જ રીતે એક બીજુ ફરમાન આ પણ છે કે :
“ જે વ્યક્તિ જાણી જોઈને મારા તરફથી કોઈ જુઠી વાત કહેશે તો તેણે જહન્નમમાં પોતાની જગ્યા બનાવી લેવી જોઈએ.”
[ગેર મોઅ્તબર રીવાયાત કા ફન્ની જાઈઝા / પેજ : ૩૯૧]
---------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59