ભયાનક અને તોફાની રાતમાં રસુલુલ્લાહ ﷺ નું એક કાફલાને ઈમાનની દઅવત દેવા જવા વિષે એક કિસ્સાની તહકીક

Ml Fayyaz Patel
0
     લોકોમાં આ કિસ્સો પણ ઘણો પ્રચલિત છે કે " એક વખત તોફાની અને ભયાનક રાતમાં સહાબાؓ  એ જોયું કે એક માણસ પહાડ તરફથી આવી રહ્યો છે. જ્યારે તે વ્યક્તિ નજદીક આવ્યો તો સહાબાએ જોયું કે તે રસુલુલ્લાહ ﷺ છે. સહાબાએ પૂછ્યું કે યા રસૂલલ્લાહ તમે આટલી ભયાનક અને તોફાની રાતમાં ક્યાંથી આવી રહ્યા છો ? તો રસુલુલ્લાહ ﷺ એ જવાબ આપ્યો કે પેલા પહાડ ની પાછળ એક કાફલો રોકાયેલો છે જે કાલે વહેલી સવારે રવાના થઈ જવાનો હતો મને દિલમાં એવો ભય થયો કે જો હું અત્યારે તેમને કલીમાની દઅવત નહીં દઉં તો તે કલીમાની દઅવત વગર અહીંથી જતા રહેશે." 
શુદ્ધિકરણ :-
     ઘણી શોધ કર્યા પછી પણ આ કિસ્સો હદીષની માન્ય કિતાબોમાં નથી મળતો.
     તે માટે જ્યાં સુધી તે સહીહ સનદ સાથે ન મળે ત્યાં સુધી તેને બયાન કરવામાં સાવચેત રહેવું જોઈએ. કેમકે રસુલુલ્લાહ ﷺ નું ફરમાન છે કે " માણસનું જુઠું હોવા માટે માત્ર આ જ વાત કાફી છે કે તે દરેક સાંભળેલી વાતો(તહકીક વગર) આગળ નક્લ કરે "
(મુકદ્દમએ મુસ્લિમ શરીફ) 
[ગૈર મોઅતબર રીવાયાત કા ફન્ની જાઈઝા : ૨ / ૩૪૨]
-------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)