લોકોમાં પલંગ તેમજ ખુરશી વગેરે પર બેઠા બેઠા પગ હલાવવા વિષે પણ ઘણી બધી માન્યતાઓ પ્રચલિત છે. જે નિમ્ન લિખિત છે.
❖ પગ હલાવવું અપશુકન છે.
❖ જે વ્યક્તિ પગ હલાવે છે તેના ઘરમાં ગરીબી આવે છે.
❖ પગ હલાવવું બદનસીબી નું પ્રતિક છે.
❖ પગ હલાવવું શયતાની કૃત્ય છે.
❖ જે વ્યક્તિના પલંગ પર બેસીને પગ હલાવવામાં આવે છે તે વ્યક્તિ કર્ઝદાર થઈ જાય છે.
❖ પગ હલાવવું ગૂન્હો છે.
શુદ્ધિકરણ :-
પગ હલાવવા વિષે ઉપરોક્ત જેટલી વાતો પ્રચલિત છે તે બધી જ મનઘડત અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓ પર આધારિત છે.
હાં ! અદબના વિરૂદ્ધ કૃત્ય જરૂર છે અને ઈસ્લામે અદબની પણ તાલીમ આપી છે. પરંતુ તેનાથી આમ થાય તેમ થાય વગેરે સમજવું ગૂનાહને પાત્ર કામ છે.
તે માટે લોકોમાં પ્રચલિત માન્યતાઓ થી બચવાની ખૂબ જ જરૂર છે.
[અગ્લાતુ'લ્ અવામ & એક ગલત સોચ]
---------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59