અમુક પ્રચલિત અંધશ્રદ્ધાઓ વિષે

Ml Fayyaz Patel
0
     આપણે એવા લોકો સાથે રહીયે છીએ કે જેમનો ધર્મ અંધશ્રદ્ધાઓ પર નિર્ભર હોય છે તે માટે તેમની કેટલીક અંધશ્રદ્ધાઓ થી આપણે પ્રભાવિત થયા છીએ. અને આપણી અંદર પણ દાખલ થઈ ગઈ છે. દા.ત.
★ ઉભા ઉભા માથાના વાળ ઓઢવાથી આપણી ઉપર ખોટો આક્ષેપ લાગે. 
★ ગરોળી ઘરમાં આવવાથી ઈમાન કમજોર થાય છે. 
★ દૂધ ઉભરાય જાય તો કંઈક નુકશાન થાય. 
★ તેલ રેડાય જાય તો ફાયદો થાય. 
★ ઝાડું ઉભા ઉભા લગાડવામાં ઘરમાં ઝઘડો થાય. 
★ જાંબુડા નું ઝાડ આંગણામાં હોય તો ગરીબી આવે.
★ ચપ્પલ અથવા બૂટ ઉંધા હોય તો સીધા કરી દેવા નહીંતર ઘરમાં લડાઈ થાય. 
શુદ્ધિકરણ :-
     ઉપરોક્ત જેટલી પણ વાતોનો ઉલ્લેખ છે તે બધી જ બેબુનિયાદ, મનઘડત અને અંધશ્રદ્ધાને પાત્ર છે. અલ્લાહ તઆલાએ આપણને ઈસ્લામના રૂપમાં જે દીન આપ્યો છે તે આ બધી જ વાતોથી પાક અને સાફ છે.
     તે માટે આ બધી અંધશ્રદ્ધાઓ થી પોતાને મુક્ત કરી શરઈ માર્ગદર્શન હેઠળ જીવન વિતાવવું જોઈએ.
[અ'લ્ મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૫ / ૩૦]
-------------------------------
Ml Fayyaz patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)