રાત્રે નખ કાપવા વિષે અંધશ્રદ્ધા

Ml Fayyaz Patel
0

     લોકોમાં નખ વિષે આ વાતો પણ ખૂબ જ પ્રચલિત છે કે :

• સાંજે નખ ના કપાય.

• મગરિબ પછી (રાત્રે) નખ કાપવા જાઈઝ નથી. 

• બુધવારે નખ કાપવાથી કોઢની બિમારી થાય. 

• સૂરજ આથમ્યા પછી નખ કાપવાથી ઘરમાં ગરીબી આવે. 

શુદ્ધિકરણ :-

     નખ કાપવા વિષે ઉપરોક્ત જેટલી વાતો છે તે બધી મનઘડત અને બેબુનિયાદ છે.  શરિયતમાં નખ કાપવા વિષે કોઈ દિવસ કે ઘડી નક્કી નથી. હાં ! પરંતુ જુમ્માના દિવસે કાપવા શ્રેષ્ઠ છે.

ફાયદો :- નખ રાત્રે કાપવા વિષે ખલીફા હારૂન રશીદ અને ઈમામ અબૂ યુસુફؒ નો એક કિસ્સો કિતાબોમાં લખેલ મળે છે કે :

     એક વખત ખલીફા હારૂન રશીદેؒ ઈમામ અબૂ યુસુફؒ ને પુછ્યું કે શું રાત્રે નખ કાપી શકાય..? ઈમામ અબૂ યુસુફ રહ. એ હાં કહ્યું તો ખલીફા હારૂન રશીદે તેમની પાસે દલીલ માંગી. ઈમામ અબૂ યુસુફ રહ. એ કહ્યું કે રસુલુલ્લાહ ﷺ નો ઈરશાદ છે ( الخير لا يؤخر ) સારા કામોમાં મોડું કરવામાં ન આવે.

[અ'લ્ મસાઈલુ'લ મુહિમ્મહ્ : ૮ / ૩૯]

---------------------------

Ml Fayyaz Patel (Ghodi)

+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)