બાળકને જન્મ આપનાર સ્ત્રી સાથે સંભોગ કરવા વિષે એક અંધશ્રદ્ધા

Ml Fayyaz Patel
0
   આ વાત પણ લોકોમાં ખૂબ જ પ્રચલિત છે કે જે સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો હોય તે સ્ત્રી સાથે જ્યાં સુધી જન્મેલુ બાળક દુધ ન છોડે ત્યાં સુધી તેની સાથે સંભોગ કરવો જાઈઝ નથી, નહીંતર દુધ હરામ થઈ જશે અને બાળક માટે તે દુધ પીવડાવવું ના જાઈઝ અને હરામ થઈ જશે.
શુદ્ધિકરણ :-
   બાળકને જન્મ આપ્યા પછી સ્ત્રીને જે લોહી આવે છે તેને શરીયતની પરિભાષામાં " નિફાસ " કહેવામાં આવે છે, જેની વધુમાં વધુ મુદ્દત ૪૦ દિવસની હોય છે. તો આ લોહી આવવાની જે મુદ્દત છે તે દરમિયાન તે સ્ત્રી સાથે સંભોગ કરવું શરઈ દ્રષ્ટિએ જાઈઝ નથી.
   તે મુદ્દત પૂર્ણ થઈ ગયા પછી વિના સંકોચ સંભોગ કરવું જાઈઝ અને દુરુસ્ત છે, અને તે સ્ત્રીનું દુધ પણ બાળક માટે જાઈઝ રહે છે, ઉપરોક્ત જે વાત પ્રચલિત છે તે બેબુનિયાદ અને મનઘડત છે.
   સારાંશ કે લોહી બંધ થઈ ગયા પછી સંભોગ કરવામાં શરઈ દ્રષ્ટિએ કોઈ વાંધો નથી.
[ઑનલાઇન ફતાવા દા.ઉ. દેવબંદ]
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)