આજકાલ આપણે ત્યાં વઝીફાનું ખૂબ જ જોડ વધી રહ્યું છે. આવા માહોલમાં વઝીફાની શરઈ હેસિયત જાણવી અવશ્ય જરૂરી હોય છે. જેથી એક જાઈઝ અમલ નાજાઈઝ ન બની જાય.
શુદ્ધિકરણ :-
વઝીફા બે પ્રકારના હોય છે. એક તો તે જે કુર્આન અને હદીષથી સ્પષ્ટ રીતે સાબિત હોય. આના જાઈઝ હોવામાં કોઈ બે મત નથી.
અને બીજો તે જે કુર્આન અને હદીષથી સાબિત તો ન હોય. પરંતુ કોઈ બુઝુર્ગનો અનુભવી અમલ હોય છે. આ બીજા નંબરના વઝીફા વિષે શરઈ હુકમ આ છે કે આને શરઈ હદમાં રહીને પઢવામાં અથવા અમલ કરવામાં કોઈ વાંધો નથી. તેથી ઉલમાએ નીચે વર્ણવેલ શર્તો સાથે પઢવાનું જાઈઝ હોવું બતાવ્યું છે.
➤ વઝીફા પઢવાની શર્તો :-
જે વઝાઈફ કુર્આન અને હદીષથી સાબિત ન હોય બલ્કે કોઈ બુઝુર્ગનો અનુભવી અમલ હોય તો તેના પર અમલ કરવાની અમુક શર્તો છે જે નિમ્ન મુજબ છે.
①☞ વઝીફામાં લખેલ શબ્દો કુર્આનની આયત, અસ્માએ હુસ્ના તેમજ અલ્લાહ તઆલાની સિફાત પર નિર્ભર હોય. શિર્ક પર આધારિત ન હોય.
②☞ અરબી અથવા બીજી એવી કોઈ ભાષામાં હોય જેનો ભાવાર્થ અને મુરાદ ખબર હોય.
③☞ તેના પ્રત્યે અકીદો એવો હોય કે અસરકારક અલ્લાહ તઆલા જ છે. વઝીફો અસરકારક નથી. વઝીફો તો માત્ર જરીયો છે. જેમ કે દવા વિષે હોય છે.
وقال ابن حجر : وقد أجمع العلماء علی جواز الرقی عند اجتماع ثلاثة شروط أن یکون بکلام الله تعالی أو بأسمائه وصفاته وباللسان العربی أو بما یعرف معناہ من غیرہ وأن یعتقد أن الرقیة لا تؤثر بذاتها بل بذات الله تعالی. [فتح الباري : الطب والرقی بالقرآن والمعوذات : ۵۷۳۵]
④☞ તેને ફર્ઝ, સુન્નત, વાજીબ, જરૂરી કે મુસ્તહબ સમજવામાં ન આવે.
⑤☞ પોતાના તરફથી અથવા તેમાં લખેલ કોઈ ષવાબ પણ યકીન રાખવામાં ન આવે. અને નક્કી તથા નિશ્ચિત સમજવામાં પણ ન આવે. (મકાલા મવલાના મુઆવિયા અસ્અદી)
તે માટે ઉપરોક્ત વઝીફો પણ કુર્આન અને હદીષથી સાબિત ન હોવાના કારણે ઉપરોક્ત પાંચ શર્તો સાથે પઢવામાં વાંધો નથી.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59