લોકોમાં આ દુવા પણ ઘણી પ્રચલિત છે જે તરાવીહની દર ચાર રકાત પછી પઢવામાં આવે છે. અને આને જરૂરી તથા સુન્નત પણ સમજવામાં આવે છે. તે દુવા આ છે :
“ સુબ્હાના ઝ઼િ'લ મુલ્કિ વ'લ મલકૂત.....! અંત સુધી ”
શુદ્ધિકરણ :
સૌથી પહેલી વાત તો આ છે કે તે વખતની કોઈ પણ દુવા શરીયતમાં સાબિત નથી. બલ્કે દરેક વ્યક્તિને ઈખ્તિયાર (વિકલ્પ) છે કે ચાર રકાતના બાદ વિલંબમાં ચાહે તો કોઈ પણ દુવા કે તસ્બિહ પઢે અથવા નફ્લ નમાઝ તથા કુર્આનની ધીમા અવાજે તીલાવત કરે. અને ખામોશ રહેવામાં પણ કોઈ વાંધો નથી.
હાં ઉપરોક્ત પ્રચલિત દુવા પઢવામાં પણ કોઈ વાંધો નથી. પરંતુ તેને જરૂરી અથવા સુન્નત સમજી તેમજ ભેગા મળીને અને બુલંદ અવાજે ન પઢવી જોઈએ, બલ્કે દરેકે વ્યક્તિગત ધીમા અવાજે પઢવી.
[ઑનલાઇન ફતાવા દા.ઉ. દેવબંદ Fatwa: 1045-1048/N=10/1438]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59