સોશિયલ મીડિયા પર આ હદીષ પણ વધુ પ્રમાણમાં વાઈરલ થઈ રહી છે કે :
રમઝાનુ'લ મુબારકના મહિનામાં ખર્ચ કરવામાં આવેલ રૂપિયાનો કોઈ હિસાબ નહીં થાય.
શુદ્ધિકરણ :
આવી કોઈ પણ હદીષ નથી જેમાં કહેવામાં આવ્યું હોય કે રમઝાનુ'લ મુબારકમાં ખર્ચ કરેલ રૂપિયા વગેરેનો હિસાબ કયામતમાં નહીં થાય.
કોઈ પણ વાત તહકીક (શુદ્ધીકરણ) વગર શેયર ન કરવી જોઈએ ખાસ કરીને દીનની વાત. અને હદીષ પ્રત્યે તો ઘણું જ સાવચેતી પૂર્વક રહેવું જોઈએ.
તે માટે ઉપરોક્ત વાતને હદીષ સમજવી અથવા હદીષ તરીકે બયાન કરવી જાઈઝ નથી.
[ઑનલાઇન ફતાવા દેવબંદ]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59