અમુક લોકોનું કહેવું છે કે રોઝહ્ ત્યારે તૂટે છે જ્યારે ગળામાં કોઈ વસ્તુ નીચે ઉતરી જાય. તે માટે તમ્બાકુ ખાનાર જો પોતાનું થુંક ગળામાં ઉતાર્યા વગર માત્ર મોઢામાં તમ્બાકુ મુકી રાખે તો તેનો રોઝહ્ તૂટવો ન જોઈએ.
શુદ્ધિકરણ :
સૌથી પહેલી વાત તો આ છે કે મોઢામાં તમ્બાકુ મુકવું અમલના રીતે ખાવા સમાન છે.
બીજી વાત કે તમ્બાકુનો કંઈક હિસ્સો અને અસર ગળા તથા દિમાગમાં તો પહોંચે જ છે. અને તમ્બાકુમાં પેટ અને દિમાગ તરફ ખેંચાવાની કુશળતા પણ હોય છે. તે જ માટે જે માણસને ખાવાની કુટેવ નથી હોતી તેને ચક્કર પણ આવી જાય છે.
તે માટે ઉલમાએ લખ્યું છે કે રોઝાની હાલતમાં તમ્બાકુ ખાવાથી રોઝહ્ તૂટી જશે.
[ફતાવા દા.ઉ. & ફતાવા ઉસ્માની : ૨ / ૧૯૨]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59